Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Wednesday, 24 April 2013

સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ? શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા?

Construction of Ellis Bridge 
અમદાવાદનો એલિસબ્રિજ 121 વર્ષ પુરાણો છે. અમદાવાદ શહેરમાં વર્ષ 1892માં ઐતિહાસિક એલીસબ્રિજનું નિર્માણ કરવામા આવ્યું હતું. આ બ્રિજને સૌ પ્રથમ 1869માં અંગ્રેજાએ લાકડાની મદદથી બનાવ્યો હતો. જે 1875ના પુરમા નુકશાન પામ્યો હતો. જેના લીધે 1892મા તેને સ્ટીલથી બનાવામા આવ્યો હતો.  
આ ઐતિહાસિક બ્રીજ પરથી મહાત્મા ગાંધી 8મી માર્ચ 1930ના રોજ હજારોની મેદની વચ્ચે દાંડી માર્ચની જાહેરાત કરી હતી. આ બ્રિજને 1973, 1983, 1986મા ત્રણ વખત તોડી પાડવાની દરખાસ્ત કરવામા આવી હતી. જેને રદ કરવામા આવી હતી. આ બ્રિજ પરથી પસાર થતા વધુ વાહનોને પગલે તેને વર્ષ 1997માં વાહન વ્યવહાર માટે બંધ કરવામા આવ્યો હતો. વર્ષ 1999 આ બ્રિજને અડીને રૂપિયા 18 કરોડના ખર્ચે 'સ્વામી વિવેકાનંદ બ્રિજ' તૈયાર કરવામા આવ્યો હતો.
Ellis bridge
            એલિસબ્રિજના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને 1997માં બ્રિજના બન્ને છેડાનો વિકાસ કરીને હેરિટેજતરીકે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમદાવાદ શહેરમાં 100 વર્ષથી વધુ જૂના એવા 10 હજારથી વધુ મકાનો-ઈમારતો છે જેને હેરિટેજ ગણવામાં આવતા હોવાથી તોડી પાડવાની મંજૂરી આપવમાં આવતી નથી.
             પરંતુ બીઆરટીએસ પ્રોજેકટના અમલ કરવા માટે શહેરના પશ્ચિમ ભાગમાંથી મધ્ય અમદાવાદ માં પ્રવેશ માટે આ બ્રિજ પરથી બીઆરટીએસ પસાર કરવી અનિવાર્ય છે. તેથી સાબરમતી નદી પરના આ લક્કડીયા પુલ તરીકે જાણીતા સ્ટીલ બોડીના પુલને તોડવા માટેની મ્યુનિ. કમીશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ સ્ટેન્ડીંગ કમિટી માટે દરખાસ્ત રજી કરી છે. આ દરખાસ્ત પર ગુરુવારે મળનારી કમિટિની બેઠકમાં મંજૂરીની મહોર મારવામાં આવે તે પહેલા તેનો ઠેર-ઠેરથી વિરોધ ઉઠ્યો હતો.
               સીધું સાદું ગણિત મારીમચેડી ને સંશોધનરૂપે ન અપાય પણ કોણ આ સમજાવે? આયોજન ના ઘડવૈયા જો એટલું પણ આયોજન યોગ્ય રીતે ન કરી શકે કે કામ પૂર્ણ થાય ત્યારે ખબર પડે કે હવે તો આ નહિ ચાલે તે છે વિકાસ??
સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ??
શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા? કે પછી અમૂલ્ય ઐતિહાસિક સ્મારક નું અવમૂલ્યાંકન કરવું
?
                અમદાવાદના ઐતિહાસિક બ્રિજને તોડવાની કમિશનરની વિવાદાસ્પદ દરખાસ્તથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે શાશક પક્ષ સામે લડી લેવાના મુડમાં છે. એલિસબ્રિજને તુટતો અટકાવવા શહેર કોંગ્રેસ સમિતિએ ધરણાનું આયોજન કર્યું છે. તેમજ કોંગ્રેસે શહેરીજનોનો મત લેવા પીકેટીંગની પણ તૈયારી કરી છે.
ખાસ નોધ : મુદા ને સંલગ્ન ચર્ચા આવકાર્ય , ગાડી એમ પણ બ્રીજ પર જ ફસાઈ ગઈ છે માટે વધુ ટ્રાફિક ન કરવા નો અનુરોધ .
~મૌલીન શાહ ,અમદાવાદ


2 comments:

  1. @Nimeshbhai ...The Lead used beneath the steel foundation is the main chunk targeted by some favorite infrastructure companies ....Favorite of CM and Mayor is just scapegoat again....

    ReplyDelete
  2. હજી જે પીન પોઈન્ટ મેં આ પોસ્ટ માં આપી છે તે દિશા માં તમે થોડાક સમજી ગયા છો .....આ એક ટીપીકલ સંઘ વિચારધારા નું ઔદ્યોગિક વિકાસ ના નામ નું ગતકડું છે ....બાકી દરેક ઐતિહાસિક સ્મારક કે જે ગાંધીજી અને આઝાદી ની લડાઈ સાથે જોડાયેલું છે તેને ખતમ કરવા નું છે ....એટલે નવાઈ નહિ કે સાબરમતી ગાંધી આશ્રમ નો પણ વારો આવે ....

    ReplyDelete