લાચારી એવી કે ભૂતકાળમાં જેને “ઘાંચી” કહી ને સૂત્રોચારો કરતા હતા એનાજ આજે “બળદ” બની ગયા? પણ ઘાંચીની સ્થિતિ
વધારે લાચાર !!
-------------------------------
જયારે વજનદાર (કદ્દાવર) હોદ્દેદાર હતા ત્યારે શહેર ના કાર્યકરો અને નેતાઓ ને પોતાના ઇશારે કઠપુતળીની જેમ નચાવનાર ૬ મહીના અગાઉ વિધાનસભા ઇલેક્શન માટે ટીકીટ ન મળતા પક્ષ પલટો કરી ગયેલા આજે ખુબજ લાચાર લાગતા હતા જેને માટે સાચેજ સહાનુભૂતિની લાગણી આવી ગઈ !!
પોતાની સાથે બીજા ૭-૮ એમનાજ મળતિયા હોદ્દેદારોને લઇ ને પક્ષ પલટો કરે ૬-૬
મહિના વીતી ગયા છે અને આજે પણ ભાજપે ન તો કોઈ બોર્ડ/નિગમ માં સ્થાન આપ્યું કે ના
સંગઠન માં કોઈ ફાલતું હોદ્દો!
એટલે આ નવરાઓ ભેગા થઇને એક યોજના બનાવી જેમાં એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસની ‘ફૂટેલી કારતુસો’ વીણી વીણી ને ભેગી કરવી અને
ભાજપ અને એના ‘ફેકું’ ને ખુશ કરવા માટે એમનો પક્ષ પલટો
કરાવો...

ભાજપે ખોટો પ્રચાર કરી ને કહ્યું હતું કે ૬૦૦૦ જેટલા એન એસ યુ આઈના પ્રદેશ,
જીલ્લા, શહેરના હોદ્દેદારો જોડાશે પણ ફરી ફેકું ની ફેકુનીતી જાહેર થઇ. ગુજરાત એન.એસ.યુ.આઇના
આખા સંગઠન માં ૫૨૪૦ જેટલા ચૂંટાયેલા પ્રદેશ –જીલ્લા-શહેરના હોદ્દેદારો છે ત્યારે બાકીના ૭૬૦ ક્યાંથી આવે
?
ફેક જ ને !!!
ચાલો ફેકવામાં એમને કોઈના પહોચે પણ મંચ સિવાય નીચે તો માત્ર ૯૦૦ ભાડુતી લોકોનીજ
હાજરી અને કોંગ્રેસ માંથી જોડાવા વાળા માત્ર ૪૫ લોકો !
હવે વાત કરીએ છ મહિના પહેલા વરરાજા કે જે આજ ફેંકુ ને ઘાંચી કેહતા હતા આજે એજ
લોકો એમના જ બળદ બની ને આમ તેમ ફરતા જોવા મળ્યા. આવી તો કેવી લાચારી ??
ખાસ નોંધનીય બાબત એ છે કે વરરાજા તો ચાલો કઈ પણ એમનું કરી લેશે પણ સાથે ગયેલા
પેલા ૭-૮ જાનૈયાઓ નું શું ?? એતો બિચારા હવામાજ લટકી ગયા છે..વરરાજા એ આવા ‘ત્રાગા’ કરી ને શું લોકસભા ને લક્ષ્ય
બનાવી છે કે પછી ગુજરાત ક્રિકેટ એસોસીએશન ?
ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર મોદીની આઈપીએલ ફિક્સિંગ કાંડ મુદ્દે
ચુપકી સેવી રાખવી એ ચર્ચા નો વિષય બન્યો છે એવા માં ૨-૩ દિવસ થી મોદીનું 'માઉથપીસ' બનીને મીડિયામાં
ચમકી ને શું મેસેજ આપી રહ્યા છે એતો સમય
આવશે ત્યારે સમજાશે પણ આજે તો દુખ અને સહાનુભૂતિ પેલા બળદો માટે છે કે જેઓ આજે જેના
પગમાં પડતા હતા તેનેજ એક સમયે “ઘાંચી” કહી ને સૂત્રોચારો કરતા હતા..
સત્તા અને પદના લાલચુ બળદો તો લાચાર ખરાજ પણ એથી એ મોટો લાચાર ઘાંચી કેહવાય કે
જેને આટલી પાખી હાજરીવાળા નાટક ને સંબોધવું પડ્યું !!!
~મૌલીન શાહ , અમદાવાદ
(ખાસનોંધ : આ પોસ્ટ /બ્લોગ એક કટાક્ષ છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું કે પ્રાઈવેટ ફાર્મ માં યોજાયેલા આખાય નાટક નું આયોજન ભાડુતી માણસો સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની એ કર્યું હતું . ૯૦૦ નો આંકડો ખુબ સુચક છે !)
No comments:
Post a Comment