Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Monday, 19 October 2015

ચાય પે ચર્ચા માં હવે વિષય થઈ ગયો છે: #ગાયપેચર્ચા !

ગત લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ પિન્ક રિવોલ્યુશનના આક્ષેપો કરીને સભાઓ ગજવી હતી. 
હાલ યુપીના ‪#‎Dadrilynching‬ ઘટના પછી માંસાહાર પર દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં મોટા ભાગના લોકો શાકાહારી હોવાના દાવાને સરકારી વિભાગે જાહેર કરેલા આંકડાએ ખોટા ઠેરવ્યા છે.
ગુજરાતમાં મોદી સરકાર વર્ષ ૨૦૦૨-૦૩માં બની ત્યારે માંસનું ઉત્પાદન 1.07 કરોડ કિલો હતું જે 1૦ વર્ષમાં વધીને 3.45 કરોડ કિલોએ પહોંચ્યું છે. આને કેહવાય #GatiSheelGujarat !!
સરકારના આ સત્તાવાર આંકડા છે પણ ગેરકાયદે થતી કતલને ગણવામાં તો મોટો વધારો થયાનું ગણી શકાય.
આમ છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં માંસાહારના પ્રમાણમાં ૩૦૦% નો વધારો થયેલો જોવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નોંધાયેલા માન્ય ૩૮ કતલખાનામાં એકમાં પણ ગાયનું માંસ તૈયાર થતું નથી તેની સામે વાસ્તવિકતા એ છે કે દર વર્ષે હજારો કિલો ગૌમાંસ પોલીસ દ્વારા પકડવામાં આવે છે. 
મોટે ભાગે આ ગેરકાયદેસર ગૌમાંસ ની હેરફેર ભાજપના કમલ લગાડેલી ગાડીઓ માં થતી જોવા મળી છે. અખબારપત્રો માં આવતી તસ્વીરો સાક્ષી છે!
પિંક રિવોલ્યુશન એ મોદીનું માત્ર ચુનાવી ગતકડું હતું (Purely Modi Brand Rhetoric!) બાકી ગુજરાત જ નહિ દેશભર માંથી આ મીટ એક્ષ્પોર્ટના ધંધા માં મોદીના ખાસ વેપારી મિત્રો અગ્રેસર હોવા ના રીપોર્ટ મળેલ છે.
વાંધો નથી સવાર સાંજ થતી ‪#‎ChaiPeCharcha‬ ને નવો વિષય મળી ગયો ગાય અને એનું ગૌમાંસ પર રાજકારણ ની ચર્ચા!
બાકી અત્યાર સુધી ગાયનું દૂધ અને એમાંથી બનતા ઘી ની ચર્ચા એ વ્યાપારિક જોર પકડ્યું હતું!
~ મૌલીન શાહ......@ ‪#‎ગાયપેચર્ચા‬



Thursday, 29 May 2014

શું હાલની સરકાર (હા સરકારના જ સાંસદો !!)  કે મીડિયા વિરોધપક્ષ ની ભુમીકા માં આવી શકે ?
---------------------------------------------------------
નવી સરકાર સામે કોઈ વિરોધ પક્ષ જ નથી રહ્યો એ લોકશાહી માટે બહુ ચિંતાનો વિષય કહેવાય અને સાથે સાથે જે રીતે ઈલેક્ટ્રોનિક મીડિયાના પક્ષપાતી વલણ ને હવે સામાન્ય નાગરીકો પણ સમજવા લાગી છે ત્યારે તેવી પરીસ્થિતમાં  પ્રિન્ટમીડિયા એ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડે એવા દિવસો આવ્યા છે. સાથે સાથે વિરોધ નો સ્વર સોસીઅલ મીડિયા પર પણ સારી રીતે રેલાય એ જરૂરી છે. એ યાદ રાખવુજ રહ્યું કે  ભિન્નમત એ લોકશાહીનો પ્રાણવાયુ છે...!!

સંસદમાં વિરોધપક્ષ નિર્બળ હોય ત્યારે શ્રી જવાહરલાલ નહેરુના શબ્દોને યાદ કરવા પડે. નહેરુની લોકપ્રિયતા એટલી જબ્બર હતી કે સંસદમાં વિરોધપક્ષ જેવું કાઈ હતું જ નહિ એનાથી નહેરુ ખૂબ વ્યથિત થઇ ગયા અને પોતાના જ પક્ષના સાંસદોને બોલાવીને કહ્યું:  "તમારે વિરોધ પક્ષની પણ ભૂમિકા ભજવવાની છે" !!

જો કે અત્યારે સંસદ માં પરિસ્થતિ સાવ નેહરુયુગ જેવી પણ નથી. ભાજપા સિવાયના પક્ષો ના સાંસદો તો છે જ . પણ હાલ ના વડાપ્રધાનની કાર્યશૈલી અને સ્વભાવ ને જોતા લાગતું નથી કે નેહરુ જેવી વ્યથા એમને અનુભવાય !

વડાપ્રધાન ન હતા બન્યા ત્યારે મોદી એ રેલીમાં અને ઈન્ટરવ્યુંમાં બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે " જે ક્રિમિનલ સાંસદો હશે એની યાદી બનાવીને હું સુપ્રિમ કોર્ટને સોપી દઈશ એ સાંસદો પછી ભાજપના હોય કે બીજા અન્ય પક્ષના હોય " આ બહુ જ આવકારદાયક અને હિમતભર્યું વચન છે.
પરંતુ એની શરૂઆત ઘરથી જ શરૂ થવી જોઈએ ગુન્હાહિત રેકોર્ડ ધરાવતા સાંસદો સામે પગલા લેવાની હિમ્મત મોદી એ બતાવી છે એ લોકશાહી માટે શુભ શરૂઆત છે.
આ ઈશ્યુમાં મોદી સામે સાંસદો જ વિરોધ પક્ષની ભૂમિકા ભજવે એવી શક્યતાઓ ઘણી છે..!

આવા ઘણા મુદ્દા , પ્રજા ની વધુ પડતી અપેક્ષાઓ અને પડકારો મોઢું ફાડીને સરકાર સામે ઊભા છે...!

~ મૌલીન શાહ , અમદાવાદ
(સૌજન્ય : ગુજરાતી દૈનિક પર થી એડિટ કરી ને)

Tuesday, 7 January 2014

જ્યાં ઉજ્જડ ગામ માં **** પ્રધાન ! ત્યાં રણમાં હરિયાળી /રણદ્વીપ શોધવા જેવો ઘાટ સર્જાયો છે !

જ્યાં ઉજ્જડ ગામ માં **** પ્રધાન ! ત્યાં રણમાં હરિયાળી /રણદ્વીપ શોધવા જેવો ઘાટ સર્જાયો છે !
-----------------------------------------------
ગુજરાતમાં માત્ર એક વ્યકિતની નજરે જ આખી સરકાર/સંગઠન/પાર્ટી  ચાલી રહી છે અને સત્તાનું સંપૂર્ણ કેન્દ્રીકરણ થઇ ગયું છે. આમ જનતાને લોકશાહી અને લોકભાગીદારીમાં વિશ્ર્વાસ રહ્યો નથી .
ગુજરાતમાંથી પ્રતિભાઓ પલાયન થઇ રહી છે જે વાતાવરણ શિક્ષિત અને અતિશિક્ષિત લોકો માટે નિરાશાજનક છે.
સ્વપ્રચાર માટે કરોડો નો ધુમાડો થઇ રહ્યો છે અને અંતે તો કરપ્શન (#Corruption) અને જાસુસીકાંડ ( #SnoopGate) જેવા દુરાચારો જ પ્રજા સમક્ષ આવી રહયા છે.
કાળા બજારીયાઓ સાથેની સરકારની સાંઠગાંઠ અને ધર્મ આધારિત રાજનીતિથી જનતા પરેશાન છે જેના કારણે આમ નાગરિકો હવે વિકલ્પ શોધી રહયા છે.

ખાસ કરીને મુખ્યમંત્રીના મતવિસ્તાર મણિનગરમાંથી સૌથી વધુ લોકો ભાજપ અને મોદીથી નારાજ હોવાનું મીડિયાના ગ્રાઉન્ડ રીપોર્ટ પર થી જાણવા મળેલ છે.
લોકશાહીમાં સરકાર થી લઇ ને પક્ષ ના સંગઠનો અને તમામ એવી સંસ્થાઓ કે જેમાં સંઘ કાર્ય થી કામ થતું હોય બધેજ આવા સરમુખત્યારો (કેહવાતા હિટલરો)અને બિન લોકશાહી ઢબે કામ કરતા લોકો જોવા મળતાજ હોય છે પણ ગુજરાત ની વાત કઇક જુદીજ છે..
આવી હિટલરશાહી કે જે ખરા અર્થમાં તો અહીતકારશાહી જેવી છે એનો  અંત આવશે ખરો ??
ખાસ નોંધ : બંધ બેસતી પાઘડી પેહરાવી દેવા છૂટ છે પણ પેહરી ને ગુસ્સે નહિ થવા નું !!
~ મૌલીન શાહ , અમદાવાદ
(www.facebook.com/shahmaulin99 , www.twitter.com/maulinshah9)

Thursday, 30 May 2013

લાચારી નું શ્રેષ્ઠ ઉદાહરણ :- જેને “ઘાંચી” કહી ને સૂત્રોચારો કરતા હતા એનાજ આજે “બળદ” બની ગયા !

લાચારી એવી કે ભૂતકાળમાં જેને ઘાંચી કહી ને સૂત્રોચારો કરતા હતા એનાજ આજે બળદ બની ગયા? પણ ઘાંચીની સ્થિતિ વધારે લાચાર !!
-------------------------------
જયારે વજનદાર (કદ્દાવર) હોદ્દેદાર હતા ત્યારે શહેર ના  કાર્યકરો અને નેતાઓ ને પોતાના ઇશારે કઠપુતળીની જેમ નચાવનાર ૬ મહીના અગાઉ વિધાનસભા ઇલેક્શન માટે ટીકીટ ન મળતા પક્ષ પલટો કરી ગયેલા આજે ખુબજ લાચાર લાગતા હતા જેને માટે સાચેજ સહાનુભૂતિની લાગણી આવી ગઈ !!
પોતાની સાથે બીજા ૭-૮ એમનાજ મળતિયા હોદ્દેદારોને લઇ ને પક્ષ પલટો કરે ૬-૬ મહિના વીતી ગયા છે અને આજે પણ ભાજપે ન તો કોઈ બોર્ડ/નિગમ માં સ્થાન આપ્યું કે ના સંગઠન માં કોઈ ફાલતું હોદ્દો!
એટલે આ નવરાઓ ભેગા થઇને એક યોજના બનાવી જેમાં એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસની ફૂટેલી કારતુસો વીણી વીણી ને ભેગી કરવી અને ભાજપ અને એના ફેકું ને ખુશ કરવા માટે એમનો પક્ષ પલટો કરાવો... 
છ મહિના ખુબ મેહનત કરી પણ જોઈએ એટલી ફૂટેલી કારતુસો એકઠી ન કરી શક્યા એટલે કોંગ્રેસે અગાઉ જેમને સસ્પેન્ડ કરેલા હોય તેવા ૪-૫ એન.એસ.યુ.આઇ ના હોદ્દેદારોએ જેઓ યુનિવર્સીટીની વેલ્ફેર જેવી ચૂંટણી હારેલા અને અગાઉ પક્ષ પલટો કરીને ભાજપામાં જોડાઈ ગયેલા કાર્યકરો  કે જેમને કોઈ જાણતુ પણ ન હતું તેમને આજે ફરીથી હાજર રાખીને પુનઃ ભાજપમાં જોડવાનું નાટક-રિએન્ટ્રી નો આજે નાટકીય કાર્યક્રમ ગોઠવાયો હતો એ પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા ની જેમ સુપર ફ્લોપ !

ભાજપે ખોટો પ્રચાર કરી ને કહ્યું હતું કે ૬૦૦૦ જેટલા એન એસ યુ આઈના પ્રદેશ, જીલ્લા, શહેરના હોદ્દેદારો જોડાશે પણ ફરી ફેકું ની ફેકુનીતી જાહેર થઇ. ગુજરાત એન.એસ.યુ.આઇના આખા સંગઠન માં ૫૨૪૦ જેટલા ચૂંટાયેલા પ્રદેશ જીલ્લા-શહેરના હોદ્દેદારો છે ત્યારે બાકીના ૭૬૦ ક્યાંથી આવે ? 
ફેક જ ને !!!
ચાલો ફેકવામાં એમને કોઈના પહોચે પણ મંચ સિવાય નીચે તો માત્ર ૯૦૦ ભાડુતી લોકોનીજ હાજરી અને કોંગ્રેસ માંથી જોડાવા વાળા માત્ર ૪૫ લોકો !
હવે વાત કરીએ છ મહિના પહેલા વરરાજા કે જે આજ ફેંકુ ને ઘાંચી કેહતા હતા આજે એજ લોકો એમના જ બળદ બની ને આમ તેમ ફરતા જોવા મળ્યા. આવી તો કેવી લાચારી ??
ખાસ નોંધનીય બાબત એ છે કે વરરાજા તો ચાલો કઈ પણ એમનું કરી લેશે પણ સાથે ગયેલા પેલા ૭-૮ જાનૈયાઓ નું શું ?? એતો બિચારા હવામાજ લટકી ગયા છે..વરરાજા એ આવા ત્રાગા કરી ને શું લોકસભા ને લક્ષ્ય બનાવી છે કે પછી ગુજરાત ક્રિકેટ એસોસીએશન ?

ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર મોદીની આઈપીએલ ફિક્સિંગ કાંડ મુદ્દે ચુપકી સેવી રાખવી એ ચર્ચા નો વિષય બન્યો છે એવા માં ૨-૩ દિવસ થી મોદીનું 'માઉથપીસ' બનીને મીડિયામાં ચમકી ને  શું મેસેજ આપી રહ્યા છે એતો સમય આવશે ત્યારે સમજાશે પણ આજે તો દુખ અને સહાનુભૂતિ પેલા બળદો માટે છે કે જેઓ આજે જેના પગમાં પડતા હતા તેનેજ એક સમયે  ઘાંચી કહી ને સૂત્રોચારો કરતા હતા..

સત્તા અને પદના લાલચુ બળદો તો લાચાર ખરાજ પણ એથી એ મોટો લાચાર ઘાંચી કેહવાય કે જેને આટલી પાખી હાજરીવાળા નાટક ને સંબોધવું પડ્યું !!!
~મૌલીન શાહ , અમદાવાદ  
(ખાસનોંધ : આ પોસ્ટ /બ્લોગ એક કટાક્ષ છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું કે પ્રાઈવેટ ફાર્મ માં યોજાયેલા આખાય નાટક નું આયોજન ભાડુતી માણસો સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની એ કર્યું હતું . ૯૦૦ નો આંકડો ખુબ સુચક છે !)

Wednesday, 24 April 2013

સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ? શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા?

Construction of Ellis Bridge 
અમદાવાદનો એલિસબ્રિજ 121 વર્ષ પુરાણો છે. અમદાવાદ શહેરમાં વર્ષ 1892માં ઐતિહાસિક એલીસબ્રિજનું નિર્માણ કરવામા આવ્યું હતું. આ બ્રિજને સૌ પ્રથમ 1869માં અંગ્રેજાએ લાકડાની મદદથી બનાવ્યો હતો. જે 1875ના પુરમા નુકશાન પામ્યો હતો. જેના લીધે 1892મા તેને સ્ટીલથી બનાવામા આવ્યો હતો.  
આ ઐતિહાસિક બ્રીજ પરથી મહાત્મા ગાંધી 8મી માર્ચ 1930ના રોજ હજારોની મેદની વચ્ચે દાંડી માર્ચની જાહેરાત કરી હતી. આ બ્રિજને 1973, 1983, 1986મા ત્રણ વખત તોડી પાડવાની દરખાસ્ત કરવામા આવી હતી. જેને રદ કરવામા આવી હતી. આ બ્રિજ પરથી પસાર થતા વધુ વાહનોને પગલે તેને વર્ષ 1997માં વાહન વ્યવહાર માટે બંધ કરવામા આવ્યો હતો. વર્ષ 1999 આ બ્રિજને અડીને રૂપિયા 18 કરોડના ખર્ચે 'સ્વામી વિવેકાનંદ બ્રિજ' તૈયાર કરવામા આવ્યો હતો.
Ellis bridge
            એલિસબ્રિજના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને 1997માં બ્રિજના બન્ને છેડાનો વિકાસ કરીને હેરિટેજતરીકે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમદાવાદ શહેરમાં 100 વર્ષથી વધુ જૂના એવા 10 હજારથી વધુ મકાનો-ઈમારતો છે જેને હેરિટેજ ગણવામાં આવતા હોવાથી તોડી પાડવાની મંજૂરી આપવમાં આવતી નથી.
             પરંતુ બીઆરટીએસ પ્રોજેકટના અમલ કરવા માટે શહેરના પશ્ચિમ ભાગમાંથી મધ્ય અમદાવાદ માં પ્રવેશ માટે આ બ્રિજ પરથી બીઆરટીએસ પસાર કરવી અનિવાર્ય છે. તેથી સાબરમતી નદી પરના આ લક્કડીયા પુલ તરીકે જાણીતા સ્ટીલ બોડીના પુલને તોડવા માટેની મ્યુનિ. કમીશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ સ્ટેન્ડીંગ કમિટી માટે દરખાસ્ત રજી કરી છે. આ દરખાસ્ત પર ગુરુવારે મળનારી કમિટિની બેઠકમાં મંજૂરીની મહોર મારવામાં આવે તે પહેલા તેનો ઠેર-ઠેરથી વિરોધ ઉઠ્યો હતો.
               સીધું સાદું ગણિત મારીમચેડી ને સંશોધનરૂપે ન અપાય પણ કોણ આ સમજાવે? આયોજન ના ઘડવૈયા જો એટલું પણ આયોજન યોગ્ય રીતે ન કરી શકે કે કામ પૂર્ણ થાય ત્યારે ખબર પડે કે હવે તો આ નહિ ચાલે તે છે વિકાસ??
સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ??
શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા? કે પછી અમૂલ્ય ઐતિહાસિક સ્મારક નું અવમૂલ્યાંકન કરવું
?
                અમદાવાદના ઐતિહાસિક બ્રિજને તોડવાની કમિશનરની વિવાદાસ્પદ દરખાસ્તથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે શાશક પક્ષ સામે લડી લેવાના મુડમાં છે. એલિસબ્રિજને તુટતો અટકાવવા શહેર કોંગ્રેસ સમિતિએ ધરણાનું આયોજન કર્યું છે. તેમજ કોંગ્રેસે શહેરીજનોનો મત લેવા પીકેટીંગની પણ તૈયારી કરી છે.
ખાસ નોધ : મુદા ને સંલગ્ન ચર્ચા આવકાર્ય , ગાડી એમ પણ બ્રીજ પર જ ફસાઈ ગઈ છે માટે વધુ ટ્રાફિક ન કરવા નો અનુરોધ .
~મૌલીન શાહ ,અમદાવાદ


Friday, 5 April 2013

હિંદુ રાજ્યની વાતો ! અને લોકરક્ષણ કરતા એક માત્ર હિદુ રાષ્ટ્રના ગુરખા નેજ તમે જો રક્ષણ ન આપી શકો તો આમ જનતા નું શું?


ગુજરાત ને હિંદુ રાજ્ય અને ભારત ને હિંદુ રાષ્ટ્ર બનાવાની વાતો કરતા માત્ર રાજકીય પક્ષના કટ્ટરવાદી લોકો જો વિશ્વના એક માત્ર હિંદુ રાષ્ટ્રના વતની અને એ પણ વર્ષો થી ગુજરાત સ્થાયી નેપાળી (વિશ્વકર્મા) પરિવાર ને ઘર તોડવા ની બાબતે સાચવી ના શક્યા તો શું આ રાજ્ય ના હિન્દુઓ ને સાચવી શકશે

કે પછી આ તો ચુંટણી વખત ના ચોખલિયા છે ??


ભારતમાં સરંક્ષણ માટે આર્મી એ  નેપાળી/ગુરખાઓના નામેજ  "ગુરખા રેજીમેન્ટ " બનાવી છે એજ નેપાળના વતનીઓ સાથે પરપ્રાન્તીઓ જેવો વ્યવહાર, વ્યવહારુ છે ??
૪૦ ડીગ્રી તાપમાન માં પોતાની જાત ને કેરોસીન નાખી ને ભસ્મીભૂત કરવી પડે ??


શું ને કેહવાય વિકાસ !
લોક રક્ષણ કરતા ગુરખા નેજ તમે જો રક્ષણ ના આપી શકો તો આમ જનતા નું શું??

* * કરેલા વચનો - 50 લાખ ઘર આપવાના * *

જે બનાવેલા 1 ઘર ને જો સાચવી(ન્યાય આપી) શકે નહિ તો નવા વસાવી શું કરવાનું કે માત્ર વાતો થી જ પેટ ભરવાનું ?
અને પછી જાહેરાત " खुशबू गुजरात की " !!!



એક બાજુ  શક્તિ પ્રદર્શનની તૈયારીઓ માં તંત્ર વ્યસ્ત હતું અને બીજી બાજુ ઘર નું ઘર ના મુદ્દે ન્યાય માટે એક પરિવાર ભડકે બળ્યું પણ હાજર હોવા છતાં ન મ્યુનીસીપલ તંત્ર મદદે આવ્યું ન પોલીસ કે ફાયર સ્ટાફ !!
શું આજ છે  'મોદીફાઈડ ઇન્ક્લુંસીવ ગ્રોથ' ?? 

અને કઈ શક્તિ નું કોના માટે પ્રદર્શન રાખ્યું છે ??

આજ જ છે ??  પગથીયે  થી સીડી સુધી પહોચવા રસ્તો ??

(ખાસનોંધ : આ પોસ્ટ લખતી વખતે એક વાત સપષ્ટ હતી કે મેં પક્ષ સાથે મારા જોડાણને વચ્ચે લાવ્યા વગર મારા પોતાના વિચાર મુક્યા છે એટલે કોઈએ ગેર સમજ નહિ કરવા વિનંતી છે.. આ બ્લોગને રાજકીય વિશ્લેષણ માટે અચૂક ગણવો પણ હા  કોઈના માનીતા નેતા કે પક્ષ ના ફાકાફોજ્દારી ને ચેલેન્જ કરવા માટે નથી ...આભાર  )

આપનો મિત્ર 
મૌલીન શાહ, અમદાવાદ  (www.facebook.com/shahmaulin99)


Thursday, 7 March 2013

દબંગ રાદડિયા - કોંગ્રેસની લાચારી કે ભાજપની મજબુરી ? કોંગ્રેસ એમ માને કે ટાઢા પાણીએ ખસ ગઈપણ વાસ્તવિક પરિસ્થતિ ચિંતાજનક !


દબંગ રાદડિયા - કોંગ્રેસની લાચારી કે ભાજપની મજબુરી ?  કોંગ્રેસ એમ માને કે ટાઢા પાણીએ ખસ ગપણ વાસ્તવિક પરિસ્થતિ  ચિંતાજનક !!
----------------------------
------------------
આજે રાદડિયા પરિવાર ભાજપમાં જોડાઈ જશે એ નક્કી છે. આમ તો ભાજપે રાદડિયા જેવા લોકોને આ સમયે પક્ષમાં લેવા પડે એ તેની પણ મજબુરી કહેવાય, પણ અત્યારે એ વિના છૂટકો નથી. અત્યારે રાજકીય પક્ષોનું એકમાત્ર લક્ષ્ય સત્તા જીતવાનું હોય છે તે જોતાં આવા ચોખલિયાવેડા ભાજપને પરવડે પણ નહીં. અને ભાજપ એવા ચોખલિયાવેડા કરવા જાય તો હાસ્યાસ્પદ પણ લાગે..
પુરુષોત્તમ સોલંકી,બાબુ બોખીરીયા, જેઠાભાઈ , શંકરભાઈ  કે દીનુ બોઘા સોલંકી જેવા નેતાઓ ભાજપમાં રહી શકતા હોય તો દબંગ રાદડિયા પણ રહી જ શકે. રાદડિયા માથાભારે ખરા પણ પુરુષોત્તમ કે દીનુ સોલંકીની સરખામણીમાં ખરેખર સજ્જન લાગે એટલે તેમને પોંખવામાં ભાજપને તો ફાયદો જ છે..
રાદડિયાના રાજીનામા પછી ખરેખર તો કોંગ્રેસની આંખ ઉઘડવી જોઈએ. કોંગ્રેસમાં જે થોડાઘણા એવા નેતા બચ્યા છે કે જે પોતાની શક્તિનો સિંહ ની જેમ પરિચય આપી શકે તથા અર્જુનની જેમ દિશા જોઈ શકે તેવા નેતાઓ ભલે જાતિવાદ કે પ્રપંચો થી હારી ગયા હોય પરંતુ પોતાની તાકાત પર લોકચાહના અને મિત્રોતો જીતી શકે છે, તેમાંના એક રાદડિયાજી હતા. જોકે કોંગ્રેસ ઈચ્છે તો રાદડિયાના વિકલ્પ ઉભા કરી શકે છે અને એવા વિકલ્પો સૌરાષ્ટ્ર માં છેજ !!
કોંગ્રેસ આવા નેતાઓ ને સાચવવાને બદલે વરસોથી અમુક પ્રપંચીઓના હાથોમાં જ રમ્યા કરે છે. જેમના લીધે ગુજરાત માંથી કોંગ્રસ ને દશા અને દિશા બેવ બેઠી છે . આ લોકોએ ભેગા થઈને ગુજરાતમાં કોંગ્રેસનું ધનોતપનોત કાઢી નાખ્યું છતાં તે દિશા માં કોઈ જ પગલા નથી લેવાયા..

જે દિવસે હાઈકમાન્ડ નો અનાદર કરીને દબંગ રાદડિયાએ લોકસભામાંથી રાજીનામું આપ્યું અને વિધાનસભામાં એક પણ દિવસ ગયા નહિ એજ દિવસે કોંગ્રેસે સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી એક દાખલો બેસે .
પણ કોંગ્રેસની તે કદાચ બીજી ભૂલ હતી .કેમ કે પેહલી ભૂલ જયારે દબંગ રાદડિયા એ ટોલપ્લાઝા પર  બંદુક બતાવી હતી તે પછી  ધારાસભા ની ટીકીટ ફાળવી ને કરી હતી !! 
Narendra #Modi will grace the grand homecoming of  the "gun toting" MP - Radadiya !


ટોલનાકે બંદુક બતાવા મુદ્દે ભાજપે ચૂંટણી વખતે ખુબ બુમ બરાડા કર્યા હતા અને મોદીની ફેસબુકિયા ટોળકીએ હજારો ફોટો શેર કર્યા હતા અને આજે મોદી પોતેજ આ વર્ષો પેહલા ભાજપથી છુટાછેડા લીધેલા બંદુકધારી દબંગ નેતાને પોખવા જવાના છે !
નાના છોકરાને પણ સમજાય એવી આ વાત છે, પણ કોંગ્રેસના મોવડી મંડળને તે કેમ સમજાતી નથી.? 
પરિણામ આપડી સામે જ છે ને દોસ્તો !!
રાદડિયાની વિદાય પછી કોંગ્રેસ જાગે તો સારું.. બાકી હવે પછીની ચૂંટણીઓમાં તેને ઉમેદવારો પણ નહીં મળે તેવી હાલત થઈ જશે તેવી ચર્ચાઓ થવા લાગી છે... 
ખાસ નોંધ : આ પોસ્ટ મારા વ્યક્તિગત વિચાર છે , પક્ષના હિતેચ્છુ તરીકે લખી છે . જો પરીવારજ નહિ સચવાય તો કોમવાદીઓ, જાતીવાદીઓ , પાંખડીઓ , ગોડસેઓ , મનુવાદીઓ ને  હાવી થતા કોઈ રોકી નહિ શકે ....પક્ષ માંથીજ પ્રત્યાઘાતો અવળા આવશે એ તૈયારી સાથે .....
આપનો મિત્ર ,
મૌલીન શાહ , અમદાવાદ (www.facebook.com/shahmaulin99)